બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.
બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.
બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ જોગવાઈઓ થાપણદારોને તેમની પસંદગી મુજબ નોમિનેશન કરવાની મંજૂરી આપશે. આનાથી ગ્રાહકો ચાર વ્યક્તિઓને નોમિનેટ કરી શકશે અને થાપણદારો અને તેમના વારસદાર માટે દાવાની પતાવટ પ્રક્રિયા સરળ બનશે.આ કાયદાનો ઉદ્દેશ્ય બેંકિંગ ક્ષેત્રમાં ધોરણો સુધારવા, ભારતીય રિઝર્વ બેંકને બેંકોના રિપોર્ટિંગમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા, થાપણદારોના રક્ષણમાં વધારો કરવા અને જાહેર ક્ષેત્રની બેંકોમાં ઓડિટ ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
