મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ

આજરોજ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થા તરફથી શ્રી મુનિવલ્લભ સ્વામિ તથા પરમાનંદ સ્વામિ તથા ગામના સામાજિક તથા ધાર્મિક આગેવાન કનુભાઈ ખાચર તથા કનુભાઈ ધાધલ તથા નાગરભાઈ ગામી તથા શાળાના આચાર્ય ધીરુભાઈ મેર તથા સમગ્ર શિક્ષક સ્ટાફ તથા ગ્રામજનો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ સારોલીયા એ કરેલ હતું નાના બાળકોને કીટ મળતા ખુશખુશાલ થઇ આનંદીત જોવા મળેલ.
બાળદેવો ભવ…
