કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.
ચિરાગભાઈએ જણાવ્યું કે – “શિક્ષક માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, મૂલ્યો અને સફળતાનો પાયો મૂકે છે. શિક્ષક એ સમાજનો સાચો દિશાસૂચક છે.”
આ સેમિનાર દ્વારા શિક્ષકોમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સમર્પણની ભાવના જગૃત થઈ. સમગ્ર કાર્યક્રમ શિક્ષક દિવસની ઉજવણીને યાદગાર બનાવતો સાબિત થયો.

