ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ દિવાલ તોડવાની કામગીરી દરમિયાન અચાનક આખી દિવાલ ધસી પડતાં આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
