દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું.
તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને દિવ્યાંગ વ્યક્તિઓને ગિફ્ટ આપવામાં આવી હતી જેમાં પાલનપુર તાલુકાના દલવાડા ગામના વતની જિલ્લા સમાજ સુરક્ષા કચેરી,પાલનપુર ( વાવ તાલુકા સહાયક શ્રી) દિવ્યાંગ કપિલ ચૌહાણનું ટ્રોફી આપી શાલ ઓઢાડી દિવ્યાંગ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી જગદીશભાઈ રાઠોડના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં દાતા શ્રીઓ, અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિ શ્રીઓ સહિત ૫૦૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી.
